જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ડૉક્ટર, 6 શ્રમિકોના મોત

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ડૉક્ટર, 6 શ્રમિકોના મોત

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં ડૉક્ટર, 6 શ્રમિકોના મોત

Blog Article

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રવિવાર, 20 ઓક્ટોબરે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરંગ-નિર્માણ સ્થળ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક ડૉક્ટર અને છ મજૂરોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા.  ગાંદરબલના ગુંડ ખાતે ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મજૂરો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પાછા ફરી રહ્યાં હતા ત્યારે ત્રાસવાદીઓ હુમલો કર્યો હતો.

આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. TRF કાશ્મીરમાં સક્રિય છે અને તેણે છેલ્લા દોઢ વર્ષમાં કાશ્મીરી પંડિતો, શીખો અને બિન-સ્થાનિકોને નિશાન બનાવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછા ઓછામાં બે આતંકવાદીઓ  મજૂરોના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મજૂરોમાં સ્થાનિક અને બિન-સ્થાનિક બંનેનો સમાવેશ થાય છે. બે મજૂરો સ્થળ પર મૃત્યુ પામ્યા હતા, અન્ય ચાર અને ડૉક્ટરે તેમની ઇજાઓ પછી મૃત્યુ પામ્યા હતા,  ઇજાગ્રસ્ત પાંચ લોકો સારવાર હેઠળ છે.મૃતકોની ઓળખ ડૉક્ટર શાહનવાઝ, ફહીમ નઝીર, કલીમ, મોહમ્મદ હનીફ, શશિ અબરોલ, અનિલ શુક્લા અને ગુરમીત સિંહ તરીકે થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદી હુમલાની નિંદા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.દરમિયાન મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હુમલામાં મૃતકોની સંખ્યા વધી શકે છે

Report this page